4.Principles of Inheritance and Variation
medium

મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે.

ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટનાને અસંયોગીજનન (parthenogenesis) કહે છે.

અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત અસંયોગજ (parthenoge) કહેવાય છે. તે નર તરીકે વિકસે છે તેને ડ્રોન (drone) કહે છે. આ કીટકો $32$ રંગસૂત્રો પૈકી ફક્ત $16$ રંગસૂત્રો ધરાવે છે.

સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen – રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જયારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય $(16)$ હોય છે.

આને એકકીય-દ્વિકીય (heplo-diploid) જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.